Apna Mijaj News
તાજા સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧ ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવશે

સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – ૨૦૨૩ થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે ૧ લી ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મે – ૨૦૧૮ થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના ૭૪,૫૧૦ કામો પૂર્ણ થયા છે. જેના થી જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૯ લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૬,૯૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. ગત વર્ષ ૨૦૨૨માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું ૧૭,૮૧૨ કામો પૂર્ણ થયા હતા. જેમાં ૨૦.૮૧ લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે ૨૪ હજાર ૪૧૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. મંત્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

Related posts

ગુજરાતીઓ ઠંડીથી થથર્યા, 11 શહેરોમાં 10 ડીગ્રીથી નીચે તાપમાન, નલિયા ટાઢું હેમ

Admin

દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસ: આરોપી આફતાબની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધી, કાયદાની પુસ્તકો આપવા માગ કરી

Admin

‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, અડાજણ, સુરત ખાતે યોજાયો હતો

Admin
error: Content is protected !!