Apna Mijaj News
'ખબર' કોની 'ખબર' લઈ નાખશે?

વિકાસનગરને અવરોધતા દબાણો તૂટશે કે..

મિ. ડેપ્યુટી કમિશનર મંડોરી તમારી નજર અહીં મંડાય તેવું પણ કંઈક કરજો
નાગલપુરના ગેરકાયદે બાંધકામની ઇમ્પેક્ટ ફી પાલિકાએ રદ કરી નોટિસો ફટકારી છતાં દબાણ કેમ દૂર થતું નથી!
• તત્કાલીન પાલિકાના સત્તાધિશોએ નોટિસ.. નોટિસની રમત બહુ રમી લીધી,હવે નકર કામગીરી કરો તેવી આશા
અપના મિજાજ ન્યુઝ (સંજય જાની)
      (દબાણ હટાવ અભિયાન ભાગ: ૦૩)

     મહેસાણા શહેરની ભાગોળે આવેલા નાગલપુર ગામના સર્વે નં.૪૫૨ની એન.એ. થયેલી જમીન ઉપર મહાદેવ સોસાયટીના નામે ૬૩ રહેણાંક મકાનો બાંધવાની મંજૂરી લેવામાં આવી હતી. જ્યાં વર્તમાન સ્થિતિમાં ૬૩ના બદલે ૬૯ મકાનો અને ૧૨ દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી હોવાની બાબતની પોલ ખોલી પાલિકાના વોર્ડ નં.૧૦માં સમાવિષ્ટ તત્કાલીન નગરસેવક વિષ્ણુભાઈ પટેલે વર્તમાન મહાનગરપાલિકાના કમિશનરનું ધ્યાન દોરી ગેરકાયદે દબાણ હટાવી દેવા રજૂઆત કરી છે.
       જોકે દબાણો ખદેડવાનો ઠેકો લઈને બેઠેલા ડેપ્યુટી કમિશનર મંડોરીની નજર અહી મંડાશે કે કેમ તેવા પ્રશ્ન પણ અમુક જાગૃત નાગરિકોમાં ઉઠ્યા છે. બીજી તરફ અહીંના એક જાગૃત નાગરિકે માત્ર મહાદેવ બંગલો જ નહીં પરંતુ આખેઆખો વિકાસ નગર પાટિયા વિસ્તાર જ દબાણોથી ખડકાઈ ગયો હોવાના ખુલાસા કર્યા છે. અત્રે નોંધનીય છે કે જે તે વખતે પાલિકા હતી ત્યારે મહાદેવ બંગલોઝ સોસાયટીના જવાબદારો દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને દબાણ કાયદેસરનું કરવા પ્રયાસ કર્યા હોવાનો ખુલાસો પણ પૂર્વ કોર્પોરેટરે કર્યો છે. જોકે એ વખતે પણ પાલિકા તંત્રએ ઇમ્પેક્ટ ફી નહીં સ્વીકારી અહીં માપણી સહિતની કાર્યવાહી કરી દબાણ હોવાનું સાબિત કર્યું હતું. જે દબાણ હટાવી દેવા માટે વખતો વખત દબાણ કરનાર તત્વોને એક પછી એક નોટિસો આપીને રમત રમવામાં આવી હતી. જોકે હવે કમિશનરની સત્તામાં આ દબાણો હટાવી દેવામાં આવશે તેવો આશાવાદ પણ જાગ્યો છે.
Oplus_16908288
    મહેસાણાના નાગલપુર વિસ્તારના વિકાસ નગર પાટીયા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને દબાણો ખડકી દેવાયા હોવાના આક્ષેપો વખત તો વખતથી ઉઠતા રહ્યા છે. વર્તમાન સમયમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અહીંના કમિશનર રવિન્દ્ર ખટાલે તેમજ ડેપ્યુટી કમિશનર મંડોરી સહિતની ટીમ શહેરમાં ખડકાઈ ગયેલા ગેરકાયદે દબાણ હટાવવા માટેની કામગીરી કરી રહી છે. જેમની કામગીરીથી દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. જેને લઇને હવે વિકાસ નગર પાટિયા વિસ્તાર તેમજ અહીં આવેલા મહાદેવ બંગલોઝ સોસાયટી સહિતના દબાણો પણ હટાવી દેવાય તે માટે પૂર્વ નગર વિષ્ણુ પટેલ અને અહીંના અગ્રણી રમેશભાઈ દ્વારા અવાજ બુલંદ કરવામાં આવ્યો છે. જો તેઓનો અવાજ મનપાના અધિકારીઓ સાંભળે અને સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી અહીં પણ જો કાર્યવાહી કરવામાં આવે તો અસંખ્ય દબાણો હટીને સુવ્યવસ્થિત યોજનાની લોકોને ભેટ મળી શકે તેમ છે.

Related posts

કલોલ પાલિકા પ્રમુખ ગ્યા,નવા (ઈ.) પ્રમુખ આવશે!

ApnaMijaj

સરકાર, હવે તો શોષણ બંધ કરો!

ApnaMijaj

ગાંધીનગરની ‘કદંબ ડાયગ્નોસ્ટિક’ ૧નં.ની ‘ખોટાડી’ લેબોરેટરી!

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!