લોકસભા સામાન્ય ચૂંટણી-2024: અમદાવાદ જિલ્લો
અમદાવાદ ખાતે રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી રવીન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો- સંચાલકો સાથે બેઠક યોજાઈ
મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતાં ચોપાનિયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરાવી શકાશે નહીં.
અમદાવાદ:અપના મિજાજ ન્યૂઝ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ માટે અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર- પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતાં પોસ્ટર, બેનર્સ, પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી રવીન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો- સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી.