નેતાઓએ કચ્છની પ્રજા ‘ખમીરવંતી’ છે તેવા ભાષણ આપી પાણી ચઢાવે રાખ્યું ને બારાતુ ઠેકેદારો આખેઆખા તળાવો, ચેકડેમ ગળી ગયાં!
મિ. મુખ્યમંત્રી, કચ્છના નેતાઓનું કંઈ ઉપજતું નથી એટલે તો બારાતુ અધિકારીઓ બળુકા બની બેઠા છે હવે તમે ‘રખેવાળ’ બનીને આવો તો સારું!
• જળસ્ત્રાવ વિકાસ એકમના અધિકારી મન ફાવે તેને નોકરી ઉપર બેસાડી દે ને એ કર્મચારી કચ્છની જનતાનો બાપુજી હોય એ રીતે વર્તે, આ છે વિનોદ!
• પહેરણના ચાર ગાભા થેલામાં નાખી નોકરી કરવા આવેલા બારાતુઓ ભ્રષ્ટાચાર આચરી કરોડોમાં રમતા થઈ જાય ને ખમીરવંતી નેતાઓ ચૂપ થઈને બેસી રહે, આ તે કેવો વિનોદ?
જળસ્ત્રાવ કૌભાંડ: ભાગ ૦૩