Apna Mijaj News
અપરાધ

મોરબી ઝૂલતા પુલ મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ હજુ સુધી જાહેરમાં ક્યાય દેખાયા નથી. તેઓ ફરાર હોય ત્યારે હવે કોર્ટ દ્વારા જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી હતી અને હવે ૧ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે હવે તા. ૧ ફેબ્રુઆરીના રોજ તેમની આગોતરા જામીન અરજી મંજુર કરાય છે કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

30 ઓક્ટોબરે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135થી વધુ લોકો નદીમાં ડૂબી ગયા હતા. આ બ્રિજની જાળવણી માટે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના માલિક જયસુખ પટેલની ધરપકડ કરવા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ધરપકડથીથી બચી રહ્યો હતો. આખરે પોલીસે જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

મોરબી ઝુલતા પુલ તુટી જવાની ઘટનામાં બે મહિનાના બાદ આખરે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું અને ટૂંક સમયમાં દાખલ થનારી ચાર્જશીટમાં આરોપી તરીકેનું નામ આપ્યું છે. આ સાથે પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સરક્યુલર પણ બહાર પાડ્યું છે. આ લુકઆઉટ સર્ક્યુલર દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓને વિદેશ જવા અથવા વિદેશથી પાછા ફરવાનો પ્રયાસ કરતી વ્યક્તિ વિશે ચેતવણી છે. તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

Related posts

કલોલમાં પરિવારને અમેરિકા મોકલવા 1.10 કરોડમાં સોદો , પૈસા ન મળતાં ફાયરીંગ કર્યું

ApnaMijaj

કનેસરા આવેલા કંનનાથ મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા અને મહાદેવ નું બીરાજમાન ચાંદીનું થાળું ઉઠાવી

Admin

બોટાદ દુષ્કર્મ મામલે સમગ્ર રાજ્યમાં દેવીપુજક સમાજમાં વ્યાપેલો રોષ .

Admin

Leave a Comment

error: Content is protected !!