



•નવજાત આ દુનિયામાં આંખો ખોલે તે પૂર્વે જ હંમેશને માટે પરત પરલોક સિધાવી ગયું
•રેફરલ હોસ્પિટલમાં કાર્યરત પૃથ્વી પરના કથિત ભગવાન દયાહીન નીકળ્યા ના આક્ષેપ
•ગરીબ પરિવારની મહિલા પ્રસુતિ પીડાથી કણસતી રહી પણ કોઈ તબીબ-નર્સ જોવા ન આવ્યાં
•ભોગ બનનારના પરિવારજનોએ હૃદય હચમચાવી મૂકે તેવી બીના વર્ણવતા કંપારી છૂટી જાય તેમ છે
સંજય જાની (અપના મિજાજ)
કલોલની રેફરલ હોસ્પિટલમાં ગત બુધવારે પ્રસૂતિ માટે આવેલી મહિલાને અહીંના ફરજ ઉપરના સ્ટાફે પ્રસુતિ વિભાગમાં દાખલ કરી દીધી. પરંતુ તેની સારવાર માટે અહીંનો કોઈ જ તબીબ સહિતનો સ્ટાફ હાજર નહીં હોવાથી મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં તે કણસતી રહી પરંતુ પૃથ્વી પરના કથિત ભગવાન હોસ્પિટલમાં ક્યાંય પણ નહીં દેખાતા અંતે તેના સંતાને આ દુનિયામાં જન્મતો લીધો પરંતુ તે ગણતરીની સેકન્ડોમાં જ પરત અનંતની વાટે જતો રહેતાં પરિવારની ખુશી પલભરમાં ભારે દુઃખમાં પલટાઇ ગઇ હતી. પરિવારજનોએ જ્યારે “અપના મિજાજ”સાથે વાત કરી પોતાની આપવીતી વર્ણવી ત્યારે ભલભલા કઠણ કાળજાના માનવીનો અંતરાત્મા પણ હચમચી ઊઠે તેવી વેદના તેમના મુખમાંથી પડતા એક એક શબ્દ અને આંખમાંથી ટપકતા આંસુમાં જોવા મળતી હતી.
